સ્પર્ધા વિશે

વાક પૂજન સ્પર્ધા વિદ્યાર્થીના વ્યક્તિત્વને મંચ આપે છે.

૧૯૯૪ થી શરૂ થયેલી આ સ્પર્ધા વિદ્યાર્થીઓને વાચન, વિચાર, આત્મવિશ્વાસ અને સંસ્કૃતિ મૂલ્યો સાથે જોડે છે.

હેતુ

યુવાશક્તિની સુપ્ત શક્તિઓ જાગૃત કરવાનો પ્રયોગ.

બોટાદ અને ભાવનગર જિલ્લાના હાઈસ્કૂલ અને કોલેજોમાં વાર્ષિક વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાય છે. મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને દિશા આપવાનો અને જવાબદાર નાગરિકત્વના બીજ રોપવાનો છે.

  • ચારિત્ર્ય ઘડતર અને વાંચનપ્રિય સદ્શ્રોતા બનાવવાનો પ્રયત્ન.
  • નેતૃત્વ, આત્મવિશ્વાસ અને નિર્ભય જાહેર વાણીનો વિકાસ.
  • સંસ્કૃતિ મૂલ્યોનું સંરક્ષણ અને જીવનમાં તેનો વહન.
  • સાંપ્રત સમસ્યાઓ પર આત્મનિરીક્ષણ અને સમાધાનલક્ષી વિચાર.
  • આદર્શ વિદ્યાર્થી, આદર્શ સમાજ અને આદર્શ રાષ્ટ્ર તરફનો સંકલ્પ.
વાકપૂજન સ્પર્ધા
૧૯૯૪શરૂઆતનું વર્ષ
૮-૧૨હાઈસ્કૂલ કક્ષા
કોલેજભાવનગર યુનિવર્સિટી અને સરકારી કોલેજ
વિશેષતા

વિષયની પસંદગી જ સ્પર્ધાનું હૃદય છે.

વિષયો માત્ર બોલવા માટે નથી. તે વિદ્યાર્થીને વિચારવા, પોતાને તપાસવા અને જીવન સાથે સંબંધિત પ્રશ્નો સમજવા માટે પ્રેરે છે.

વિ

વિચારજન્ય વિષય

વિષયો વિદ્યાર્થીજીવનને અનુરૂપ હોય છે અને મૌલિકતા માંગે છે.

અં

અંતર્મુખતા

વિદ્યાર્થી પોતાનો સ્વભાવ, વાણી અને વર્તન તપાસે તેવી દિશા મળે છે.

સં

સંસ્કૃતિ જોડાણ

યુવા વયે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સાથે વિચારપૂર્વક જોડાવાનું માધ્યમ બને છે.